મંથન@બુધ્ધિજીવી: જન્મદિવસે હાર્દિક પટેલની ગોષ્ઠી, ચેતના સંમેલન

અટલ સમાચાર, મહેસાણા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના જન્મદિવસે ગાંધીનગરમાં ગોષ્ઠી માટે બેઠક બોલાવી છે. રાજ્ય અને રાજ્ય બહારના અગ્રણીઓ સાથે વિવિધ વિષયો ઉપર ચેતના સંમેલનનું આયોજન કર્યું છે. આજે બપોરે 2 વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરાયું છે. આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મારા
 
મંથન@બુધ્ધિજીવી: જન્મદિવસે હાર્દિક પટેલની ગોષ્ઠી, ચેતના સંમેલન

અટલ સમાચાર, મહેસાણા

પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના જન્મદિવસે ગાંધીનગરમાં ગોષ્ઠી માટે બેઠક બોલાવી છે. રાજ્ય અને રાજ્ય બહારના અગ્રણીઓ સાથે વિવિધ વિષયો ઉપર ચેતના સંમેલનનું આયોજન કર્યું છે. આજે બપોરે 2 વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરાયું છે.

આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મારા જન્મદિવસ પર ગુજરાતની જનતાના અધિકારના અવાજને બુલંદ કરવા માટે ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે. અમારો ઉદ્દેશ સામાન્ય લોકોને મજબુત અને સશકત બનાવવાનો છે. હું જાણું છું કે જનતા હાલની વર્તમાન સરકારથી નારાજ છે. પરંતુ હકીકત એ નથી પરંતુ તેની માટે લડનારા લોકો પણ ઓછા છે.

હાર્દિક પટેલના જન્મદિવસને લઇ આજરોજ 20 જુલાઈને શનિવારે બપોરે 2 કલાકે ગાંધીનગરના સેક્ટર-17ના ટાઉનહોલ ખાતે ચેતના સંમેલન યોજાશે. જેમાં મુખ્ય વકતા તરીકે હાર્દિક પટેલ, શકિતસિંહ ગોહિલ(કોંગ્રેસ) અને સાંસદ સંજયસિંહ ઉપસ્થિત રહેશે.