ભંગાણ@અમદાવાદઃ લગ્નને લઇ સામાજીક ટકરાવ, કિશોરીનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ નિકોલમાં એક 17 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના મામા અને મામી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામા અને મામી કિશોરીને લગ્ન માટે દબાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે. માતાનું મોત થયા બાદ કિશોરીને મામા પક્ષના લોકો પોતાના ઘરે લઈ ગયા
 
ભંગાણ@અમદાવાદઃ લગ્નને લઇ સામાજીક ટકરાવ, કિશોરીનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ નિકોલમાં એક 17 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના મામા અને મામી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામા અને મામી કિશોરીને લગ્ન માટે દબાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે. માતાનું મોત થયા બાદ કિશોરીને મામા પક્ષના લોકો પોતાના ઘરે લઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભંગાણ@અમદાવાદઃ લગ્નને લઇ સામાજીક ટકરાવ, કિશોરીનો આપઘાત
file photo

આ મામલે કપડવંજ ખાતે રહેતા કિશોરીના પિતા ભરતભાઈ મકવાણાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ભરતભાઈની ફરિયાદ પ્રમાણે છેલ્લા છ મહિનાથી મારા સાળા તરફથી મારી 17 વર્ષની દીકરી પર લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં મારી દીકરીની મારા કે મારી દીકરા સાથે સંબંધ નહીં રાખવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. આ કારણે મારી દીકરીએ રિદ્ધિએ તા. 20 ઓગસ્ટના રોજ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.મળતી માહિતી પ્રમાણે ભરતભાઈની પત્નીનું આઠ વર્ષ પહેલા મોત થયું હતું. લગ્ન જીવનથી તેમને બે સંતાનો હતા. જેમાં રિદ્ધી સૌથી મોટી હતી અને તે પછી એક દીકરો હતો. પત્નીના મોત બાદ છોકરીના મામા તેને પોતાના ઘરે લઈ ગયા હતા.

મામા-મામી ત્રાસ આપતા હોવાની ફરિયાદઃ-

કિશોરીના પિતાએ આપેલી ફરિયાદ પ્રમાણે તેમનો સાળો રોહિત અને તેની પત્ની તેની દીકરીને લગ્ન માટે દબાણ કરતી હતી. આ મામલે દીકરીએ પિતાએ અનેક વખત ફરિયાદ પણ કરી હતી. કિશોરીના કહેવા પ્રમાણે તેણી લગ્ન માટે ના પાડતી ત્યારે તેના મામા અને મામી તેને ઘરમાંથી કાઢી મૂકતા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. 20મી ઓગસ્ટના રોજ પિતાના મોબાઈલમાં તેની દીકરીનો ફોન આવ્યો હતો અને મામા અને મામીના ત્રાસથી તેણી કંટાળી ગઈ હોવાની ફરિયાદ કરી હતી. આ જ સાંજે કિશોરીના પિતાને તેમના સાળાએ ફોન કરીને જણાવ્યું હતું કે રિદ્ધિએ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો છે.