બ્રેકિંગઃ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં આઘાત

અટલ સમાચાર, ડેસ્ક બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આપી હતી. ઋષિ કપૂરની તબીયત અચાનક બગડતાં તેમને મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં
 
બ્રેકિંગઃ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં આઘાત

અટલ સમાચાર, ડેસ્ક

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આપી હતી. ઋષિ કપૂરની તબીયત અચાનક બગડતાં તેમને મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા.

ઋષિ કપૂર તબીયત બગડવાના કારણે લગભગ એક સપ્તાહથી હૉસ્પિટલમાં હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબીયણ ઘણી ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને દિલ્હી (Delhi)ની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે ઈન્ડિયન એક્સપ્રસ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, 2018માં ઋષિ કપૂરને કેન્સરની બીમારી હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ન્યૂયોર્કમાં લગભગ 8 મહિના સુધી તેમની સારવાર ચાલી હતી. પહેલા તો ન તો ઋષિ કપૂરે કે તેમના પરિવારે આ અંગે કોઈ ખુલાસો કર્યો હતો. પરંતુ બાદમાં ઋષિ કપૂરે લોકોને જાતે આ વાતની જાણકારી આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની તબીયતમાં સુધારો છે.

ઋષિ કપૂરે 2019માં સારવાર બાદ પોતાના પ્રશંસકોને આ વાતની જાણકારી આપી હતી કે તેઓ કેન્સરથી પીડિત છે. ઋષિ કપૂરના આ મુશ્કેલ દિવસોમાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે ન્યૂયોર્કમાં હતી, જે તેમની દેખભાળ રાખી રહી હતી. ઋષિ કપૂરના ઠીક થયા બાદ નીતૂ કપૂરે પણ એક ઇન્ટરવ્યૂમાં ઋષિ કપૂરની તબીયતને લઈ અનેક ખુલાસા કર્યા હતા.