બ્રેકિંગ@અમદાવાદ: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત, અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું પેસેન્જર બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ અને આખેઆખુ પ્લેન બળીને ખાખ થઈ ગયુ. આ પ્લેનમાં સવાર તમામ 242 મુસાફરોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. બપોરે 1.38 કલાકે પ્લેને લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયુ હતુ.આ ફ્લાઈટમાં 242 મુસાફરો સવાર હતા. જેમા 2 પાયલોટ અને 10 ક્રુ મેમ્બરનો પણ સમાવશે થાય છે.પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો સવાર હતા.
અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર પ્લેન દુર્ઘટનાના જે પ્રકારે દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા લાગતુ નથી કે એકપણ વ્યક્તિ જીવિત બચી હોય શકે. હાલ પ્લેનમાં સવાર તમામ 242 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઘટના પર નજર રાખી રહ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ મુસાફર બચ્યું નથી. રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી મોતનો ચોક્કસ આંકડો આવ્યો નથી. અમુક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમની બચવાની સંભાવના નહિંવત્ત છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.