બ્રેકિંગ@અંબાજી: વહેલી સવારે અજાણ્યાં વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા અંબાજીનો મહામેળો કોરોનાને કારણે આ વર્ષે પણ રદ્દ કરવામાં આવ્યો છે. આ તરફ માં અંબાના દર્શને પદયાત્રીઓ પ્રવાહ અવિરત ચાલુ જ છે. આ બધાની વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અંબાજી દર્શનાર્થે જતાં પદયાત્રીકોને વહેલી સવારે અજાણ્યાં વાહને અડફેટે લીધા હતા. જેમાં સ્થળ પર જ ત્રણ વ્યક્તિના
 
બ્રેકિંગ@અંબાજી: વહેલી સવારે અજાણ્યાં વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

અંબાજીનો મહામેળો કોરોનાને કારણે આ વર્ષે પણ રદ્દ કરવામાં આવ્યો છે. આ તરફ માં અંબાના દર્શને પદયાત્રીઓ પ્રવાહ અવિરત ચાલુ જ છે. આ બધાની વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અંબાજી દર્શનાર્થે જતાં પદયાત્રીકોને વહેલી સવારે અજાણ્યાં વાહને અડફેટે લીધા હતા. જેમાં સ્થળ પર જ ત્રણ વ્યક્તિના મોત થતાં પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. આ સાથે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ સંબંધિત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાણપુર નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. આજે સવારે અંબાજી જતાં પદયાત્રિકોને એક અજાણ્યાં વાહને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ વ્યક્તિને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ કરૂણ મોત થયાનું સામે આવ્યુ છે. અકસ્માતના મૃતકોમાં એક યુવતિ અને બે યુવકનો સમાવેશ થાય છે. આ તરફ અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હોય તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.