બ્રેકિંગ@અરવલ્લીઃ જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં કરૂણ મોત
અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લીના ભીલોડાના મોહનપુર ચોકડી પાસે જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષામાં બેઠેલા ત્રણ વ્યકિતના ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયા છે. ઘટનાને પગલે લોકોના ટોળુટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગત નોંધી તપાસ હાથ ધરી છે. ભીલોડાની મોહનપુર
Jul 8, 2019, 16:27 IST
અટલ સમાચાર, અરવલ્લી
અરવલ્લીના ભીલોડાના મોહનપુર ચોકડી પાસે જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષામાં બેઠેલા ત્રણ વ્યકિતના ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયા છે. ઘટનાને પગલે લોકોના ટોળુટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગત નોંધી તપાસ હાથ ધરી છે.
ભીલોડાની મોહનપુર ચોકડી પાસે સોમવારે બપોરના સમયે રીક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યકિતઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા છે. ઘટના બાદ હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, તો રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટનામાં રીક્ષાના બે ભાગ થઇ ગયા હતા.