બ્રેકિંગ@દેશ: OBC અને EWS માટે સરકારે આ અનામતની કરી જાહેરાત, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણ કરી કે, કેન્દ્ર સરકારે મેડિકલ સેક્ટરમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલ ઈન્ડીયા કોટા હેળ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં ઓબીસી સમૂદાયના વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામતની જાહેરાત કરાઈ છે. આર્થિક રીતે નબળો અને કમજોર લોકોને અનામત આપવાની કેન્દ્ર સરકારની ઈચ્છા છે. આ મુદ્દો ભાજપ માટે એક મહત્વનો મુદ્દો રહ્યો છે. આને કારણે મોદી ઓબીસી મુદ્દા પર વધારે ધ્યાન આપી રહ્યાં છે.
આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાલના શૈક્ષણિક સત્ર 2021-22 થી યુ.જી. અને પી.જી. મેડિકલ / ડેન્ટલ અભ્યાસક્રમો (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ) માટે લાગુ રહેશે. આ નિર્ણયથી મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી તથા આર્થિક પછાત વર્ગના 5500 વિદ્યાર્થીઓને લાભ મળશે. દેશમાં પછાત તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે અનામત આપવા સરકાર કટિબદ્ધ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
देश में मेडिकल एजुकेशन के क्षेत्र में सरकार द्वारा ऐतिहासिक निर्णय लिया गया है।
ऑल इंडिया कोटे के तहत अंडरग्रेजुएट/पोस्ट ग्रेजुएट, मेडिकल तथा डेंटल शिक्षा में OBC वर्ग के छात्रों को 27% व कमजोर आय वर्ग (EWS) के छात्रों को 10% आरक्षण दिया जाएगा। (1/2)
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 29, 2021
इस निर्णय से मेडिकल तथा डेंटल शिक्षा में प्रवेश के लिए OBC तथा आर्थिक रूप से कमजोर वर्ग (EWS) से आने वाले 5,550 छात्र लाभान्वित होंगे।
देश में पिछड़े तथा कमजोर आय वर्ग के उत्थान के लिए उन्हें आरक्षण देने को सरकार प्रतिबद्ध है। (2/2)https://t.co/amrkl5TveY
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 29, 2021
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે થયેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયોને આ આદેશ આપ્યો હતો. બેઠકમા મોદીએ આર્થિક અને નબળા વર્ગના લોકોને અનામત માટેની વાત કરી હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાલના સમયે લગભગ 15 ટકા યુજી, 50 ટકા પીજી મેડિકલ બેટક રાજ્ય સરકારો દ્વારા મેનેજમેન્ટ હેઠળ આવે છે તેમાં એસસી, એસટી માટે બેઠકો અનામત છે પરંતુ ઓબીસી માટે નથી. પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયો ઓબીસી કોટા સંબંધિત તમામ વિવાદ જલદીથી ઉકેલી દેવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ઓબીસી સમૂદાય મેડિકલ સેક્ટરમાં વધારે બેઠકો આપવાની માગ કરી રહ્યો છે. આ મામલો કોર્ટની એરણે પણ ચડ્યો છે.