બ્રેકિંગ@દેશ: SC/ST એક્ટમાં ધરપકડ માટે પ્રાથમિક તપાસની જરૂર નથી- સુપ્રીમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો 2018 (SC/ST Act)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે આ કાયદા હેઠળ ધરપકડ પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના મામલામાં એફઆઈઆર નોંધતા પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી
 
બ્રેકિંગ@દેશ: SC/ST એક્ટમાં ધરપકડ માટે પ્રાથમિક તપાસની જરૂર નથી- સુપ્રીમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો 2018 (SC/ST Act)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે આ કાયદા હેઠળ ધરપકડ પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના મામલામાં એફઆઈઆર નોંધતા પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની અનિવાર્ય નથી. બીજી તરફ કોર્ટે એમ પણ કહ્યું કે પોતાની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવા માટે આરોપી વ્યક્તિ કોર્ટની શરણમાં જઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોદી સરકારે વર્ષ 2018માં એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની બેન્ચે આ સંશોધનોને બરકરાર રાખતાં એમ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના મામલાઓમાં એફઆઈઆર નોંધતાં પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની પણ જરૂર નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે 20 માર્ચ 2018માં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ હેઠળ તપાસ વિના ધરપકડ ન થઈ શકે. આ એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા, ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા.