બ્રેકિંગ@ધાનેરા: કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર, પરિજનોને આભ ફાટ્યું

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે આજે ધાનેરા તાલુકાના ગામે કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ધાનેરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મોડીરાત્રે કિશોરીની આસપાસના ગામના બે યુવાનોને
 
બ્રેકિંગ@ધાનેરા:  કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર, પરિજનોને આભ ફાટ્યું

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે ધાનેરા તાલુકાના ગામે કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ધાનેરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મોડીરાત્રે કિશોરીની આસપાસના ગામના બે યુવાનોને પરિવારજનોએ જોયા હોવાના આક્ષેપ સાથે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના વિડ ગામે આશાસ્પદ કિશોરીએ ઘરમાં જ આત્મહત્યા કરી લેતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ કિશોરીએ પ્રેમપ્રકરણ કે અન્ય કોઇ કારણસર આપઘાત કર્યો હોવાનું મનાઇ રહ્યુ છે. આ તરફ મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, મોડીરાત્રે કિશોરી સાથે ગામના બે યુવાનોને જોયા હતા. જેથી પરિવારે તેમની સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવાની કવાયત હાથ ધરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

બ્રેકિંગ@ધાનેરા:  કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર, પરિજનોને આભ ફાટ્યું

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં સતત આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાના વિડ ગામે એક કિશોરીએ આપઘાત કરી લેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જેમાં કિશોરીએ પ્રેમપ્રકરણને કારણે આ પગલું ભર્યુ ? કે પછી અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો તે અંગે અનેક ચર્ચાઓને સ્થાન મળ્યુ છે. આ તરફ ધાનેરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.