બ્રેકિંગ@દિયોદર: પરિવાર બહારગામ ગયો અને ઘરમાંથી દાગીના ચોરાયા
અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) દિયોદર પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ વધુ એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરની સોસાયટીમાં રહેતો પરિવાર કામ અર્થે બહારગામ ગયો હતો. આ દરમ્યાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી અંદાજે લાખ રૂપિયાના દાગીના સહિતની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઘરમાલિકે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ
Feb 13, 2020, 11:18 IST
અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)
દિયોદર પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ વધુ એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરની સોસાયટીમાં રહેતો પરિવાર કામ અર્થે બહારગામ ગયો હતો. આ દરમ્યાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી અંદાજે લાખ રૂપિયાના દાગીના સહિતની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઘરમાલિકે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર શહેરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. શહેરની શક્તિનગર સોસાયટીમાં તસ્કરો હાથફેરો કરી પલાયન થઇ ગયા છે. ઘરમાલિકે જણાવ્યુ હતુ કે, ચેન, લક્કી, બુટ્ટી સહિતના સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે એકલાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.