બ્રેકિંગ@ગુજરાત: પાવાગઢમાં રોપવે તૂટતાં 6 લોકોના મોત, જાણો સમગ્ર ઘટના

 
દુર્ઘટના
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે.

પાવાગઢમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ-વેનો તાર અચનાક તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.