બ્રેકિંગ@ગુજરાત: નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણુંક
અટલ સમાચાર, મહેસાણા ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ.પી. કોહલીનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યભાર પુર્ણ થયા બાદ આનંદીબેન પટેલને ચાર્જ સોંપાવાની અફવાઓ વચ્ચે સોમવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી
Jul 15, 2019, 14:19 IST
અટલ સમાચાર, મહેસાણા
ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ.પી. કોહલીનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યભાર પુર્ણ થયા બાદ આનંદીબેન પટેલને ચાર્જ સોંપાવાની અફવાઓ વચ્ચે સોમવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાત રાજ્યપાલ તરીકે તેમની નિમણુંક કરાઇ છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના રાજ્યપાલની જગ્યા ખાલી પડતા કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.