બ્રેકિંગ@ખેરાલુ: લગ્નના એક વર્ષમાં યુવકનું મોત, તળાવમાંથી મળી લાશ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ખેરાલુ તાલુકાના ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. ગામના તળાવમાંથી લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવે ઉમટી પડ્યા હતા. મૃતક યુવકના લગ્ને માંડ એક વર્ષ થયા હોવાની તેની પત્નિ સહિત પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ
 
બ્રેકિંગ@ખેરાલુ: લગ્નના એક વર્ષમાં યુવકનું મોત, તળાવમાંથી મળી લાશ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ખેરાલુ તાલુકાના ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. ગામના તળાવમાંથી લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવે ઉમટી પડ્યા હતા. મૃતક યુવકના લગ્ને માંડ એક વર્ષ થયા હોવાની તેની પત્નિ સહિત પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@ખેરાલુ: લગ્નના એક વર્ષમાં યુવકનું મોત, તળાવમાંથી મળી લાશ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ખેરાલુ: લગ્નના એક વર્ષમાં યુવકનું મોત, તળાવમાંથી મળી લાશ

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના હીરાપુરા ગામે 22 વર્ષીય યુવકની તળાવમાંથી લાશ મળતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ભગાજી ઠાકોર હોવાનું સામે આવ્યુ છે. લગ્નને હજી તો એક વર્ષ પુર્ણ થયુ છે ત્યારે હત્યા કે આત્મહત્યા તે અંગે પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, ભગાજી ઠાકોરના પરિવારમાં બે ભાઇ માતા-પિતા અને પત્ની છે. સમગ્ર ઘટનાને લઇ ખેરાલુ પોલીસ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વેલેન્ટાઇન ડે પહેલા જીલ્લામાંથી આજે સવારે જ પ્રેમીપંખીડાની લાશ મળી આવ્યા બાદ ખેરાલુમાંથી યુવકની લાશ મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં પત્નિ સહિત પરિવારજનો માથે આભ ફાટી પડ્યુ છે. ખેરાલુ પોલીસે હત્યા કે આત્મહત્યા તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.