બ્રેકીંગ@લખનઉઃ કોર્ટમાં વકીલ ઉપર બોમ્બ વિસ્ફોટ, માંડ માંડ બચ્યા

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ વકીલ સંજીવ લોધીને નિશાન બનાવીને આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. લોધી બાર એસોસિએશનના એક પદાધિકારી પણ છે. આ હુમલામાં તેઓ માંડ
 
બ્રેકીંગ@લખનઉઃ કોર્ટમાં વકીલ ઉપર બોમ્બ વિસ્ફોટ, માંડ માંડ બચ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ વકીલ સંજીવ લોધીને નિશાન બનાવીને આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. લોધી બાર એસોસિએશનના એક પદાધિકારી પણ છે. આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વકીલોના બે જૂથો વચ્ચે અંગત અદાવતને લઈને આ બોમ્બથી હુમલો થયો છે. અત્રે જણાવવાનું કે લખનઉ કચેરીમાં ચૂંટણી પણ યોજાવવાની હતી. અને અચાનક ધડાકાથી કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ સીસીટીવી ફૂટેજ દ્વારા હુમલાખોરોની શોધ થઈ રહી છે. કહેવાય છે કે હુમલાખોરોએ તમંચો પણ લહેરાવ્યો હતો. બોમ્બ ફેંકીને હુમલાખોરો રફુચક્કર થઇ ગયા હતા. પોલીસે મિનીટોમા હુમલાખોરોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.