બ્રેકિંગ@મહેસાણા: સુખી લોકો 37 દીનમાં સરકારી અનાજ છોડજો: મામલતદારનો પત્ર

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે રેશનકાર્ડ ધારકોની યાદીમાં ભિન્નતા પાડવાની ગતિવિધિ સામે આવી છે. સરકારને આર્થિક બોજ પડતો હોવાનું કારણ આપી સુખી લાભાર્થીઓને સરકારી અનાજનો છોડવા જાહેર અપીલ કરવામાં આવી છે. આર્થિક રીતે સધ્ધર રેશનકાર્ડધારકોને 37 દીવસમાં તેમનો હક્ક જતો કરવા મામલતદારે આજે જણાવ્યુ છે. આ સાથે જો સ્વેચ્છાએ સરકારી અનાજનો જથ્થો જતો કરવામાં નહીં
 
બ્રેકિંગ@મહેસાણા: સુખી લોકો 37 દીનમાં સરકારી અનાજ છોડજો: મામલતદારનો પત્ર

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે રેશનકાર્ડ ધારકોની યાદીમાં ભિન્નતા પાડવાની ગતિવિધિ સામે આવી છે. સરકારને આર્થિક બોજ પડતો હોવાનું કારણ આપી સુખી લાભાર્થીઓને સરકારી અનાજનો છોડવા જાહેર અપીલ કરવામાં આવી છે. આર્થિક રીતે સધ્ધર રેશનકાર્ડધારકોને 37 દીવસમાં તેમનો હક્ક જતો કરવા મામલતદારે આજે જણાવ્યુ છે. આ સાથે જો સ્વેચ્છાએ સરકારી અનાજનો જથ્થો જતો કરવામાં નહીં આવે તો કેટલાક દિવસો પછી તપાસ થશે. જેમાં મળી આવતી વિગતો આધારે કાયદેસરની કાર્યવાહી અને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા મામલતદાર કચેરી દ્રારા રેશનકાર્ડધારકોને પુરવઠા બાબતે મોટી અપીલ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત આર્થિક રીતે સુખી કાર્ડધારકોને 37 દીવસમાં સરકારી અનાજનો લાભ છોડવા કહ્યુ છે. સરકારને આર્થિક રીતે બોજ પડતો હોઇ સુખી છે તેવાં સરકારી અનાજ સ્વેચ્છાએ અરજી કરી લાભ જતો કરે. આ માટે 31-10-2020 સુધીમાં પોતાનો હક્ક જતો રૂબરૂમાં મહેસાણા મામલતદાર કચેરીએ અરજી કરવા કહ્યુ છે. જેનાથી પંથકના કાર્ડધારકોમાં સુખી અને ગરીબની બાબતો ચર્ચામાં આવી છે.

બ્રેકિંગ@મહેસાણા: સુખી લોકો 37 દીનમાં સરકારી અનાજ છોડજો: મામલતદારનો પત્ર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્રારા દરેક રેશનકાર્ડ ધારકોને મફત સરકારી અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન વિવિધ પેકેજો જાહેર કર્યા બાદ હવે પુરવઠા વિભાગે સૌથી મોટી કવાયત હાથ ધરી છે. આર્થિક રીતે સધ્ધર હોય તેવા રેશનકાર્ડધારકો પોતાનો હક્ક સ્વેચ્છાએ જતો નહિ કરે તો આગામી તા.1-11-2020 પછી ઝુંબેશ રૂપે તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ દરમ્યાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો મહેસાણા તાલુકા વહીવટી તંત્ર દ્રારા કાયદેસરની કાર્યવાહી થશે. આ સાથે જરૂર જણાયે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી હોવાનો ઉલ્લેખ કરતાં હડકંપ મચી ગયો છે.

આર્થિક રીતે સધ્ધર હોવાના માપદંડ નક્કી કર્યા

  1. કુટુંબમાં 3 કે 4 પૈડાનું વાહન ધરાવતાં હોય
  2. કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય
  3. કુટુંબનો કોઇપણ સભ્ય પેન્શનર હોય
  4. કુટુંબનો કોઇપણ સભ્ય માસિક રૂ.10.000 થી વધુ આવક ધરાવતાં હોય (ખાનગી કંપનીમાં કે સરકારી નોકરી કરતો હોય)
  5. કુટુંબનો સભ્ય આવકવેરો,વ્યવસાય વેરો ચુકવતો હોય
  6. કુટુંબ 5 એકર કે તેથી વધારે જમીન ધારણ કરતું હોય
  7. શહેરી વિસ્તારમાં પાકું મકાન ધરાવતાં હોય
  8. જે કુંટુંબ આર્થિક રીતે સધ્ધર હોય