બ્રેકિંગ@સાંતલપુર: હોટલ પાસેથી બિનવારસી હાલતમાં આધેડની લાશ મળી
અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર પંથકની ખાનગી હોટલ પાસેથી આજે સવારે એક આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સાંતલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આધેડની હત્યા કે આત્મહત્યા તે મામલે પણ વધુ તપાસ
Mar 3, 2020, 14:05 IST
અટલ સમાચાર, રાધનપુર
સાંતલપુર પંથકની ખાનગી હોટલ પાસેથી આજે સવારે એક આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સાંતલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આધેડની હત્યા કે આત્મહત્યા તે મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનુપર પાસેથી બિનવારસી હાલતમાં આધેડની લાશ મળી આવી છે. સીધાડાથી સુઇગામ રોડ ઉપર આવેલ વરણસોરી ગામ નજીક ગાયત્રી હોટલ પાસે આજે સવારે આધેડની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. આધેડની લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સાંતલપુર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.