બ્રેકીંગ@સુઇગામ: ગૌશાળાના ઘાસચારામાં અચાનક આગથી અફરાતફરી
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) લોકડાઉન વચ્ચે સુઇગામ પંથકની એક ગૌશાળામાં પડેલ ઘાસચારામાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગથી અફરાતફરીના માહોલ વચ્ચે લોકોએ આગ બુઝાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ઘાસ ભરવાના ગોડાઉનમાં આગ લાગતા કતર કરેલ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી થરાદ પાલિકા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ
Apr 7, 2020, 16:41 IST
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
લોકડાઉન વચ્ચે સુઇગામ પંથકની એક ગૌશાળામાં પડેલ ઘાસચારામાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગથી અફરાતફરીના માહોલ વચ્ચે લોકોએ આગ બુઝાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ઘાસ ભરવાના ગોડાઉનમાં આગ લાગતા કતર કરેલ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી થરાદ પાલિકા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના દુધવા ગામે આગનો બનાવ સામે આવ્યો છે. આજે બપોરના સમયે અગમ્ય કારણોસર ગૌશાળામાં પડેલા ઘાસચારામાં અચાનક આગ લાગી હતી. ગૌશાળામાં ઘાસ ભરવાના ગોડાઉનમાં લાગેલી આગને કારણે મોટાપાયે નુકશાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. થરાદ પાલિકા દ્રારા ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી.