બ્રેકિંગ@સુરેન્દ્રનગર: તરણેતરના મેળાને ફરી નડ્યું કોરોના ગ્રહણ, સતત બીજા વર્ષે બંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વર્ષ સુરેન્દ્રનગર જીલ્લા માં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ બંધ રહેશે.મહત્વનું છે કે, કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામા આવ્યો છે.વિશ્વ વિખ્યાત તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે.
આ વર્ષે પણ શ્રાવણમાસમાં યોજાતા લોકમેળાનું વિષેશ મહત્વ છે સૌરાષ્ટમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. જેમાં તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે પરતું કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ મેળા યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સૌરાષ્ટ્રનો સૌથી વધુ પ્રચલિત અને વિશ્વ વિખ્યાત લોક ભાતીગળ મેળો પણ બંધ રહેશે.