બ્રેકિંગ@થરાદ: આશાસ્પદ યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

અટલ સમાચાર, થરાદ થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી કાલે એક આશાસ્પદ યુવકે આપઘાત કર્યો હતો. ભારે શોધખોળને અંતે આજે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. મૃતક યુવક બાઇક અને મોબાઇલ કેનાલ પાસે મુકીને કુદ્યો હતો. સમગ્ર મામલે થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે
 
બ્રેકિંગ@થરાદ: આશાસ્પદ યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

અટલ સમાચાર, થરાદ

થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી કાલે એક આશાસ્પદ યુવકે આપઘાત કર્યો હતો. ભારે શોધખોળને અંતે આજે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. મૃતક યુવક બાઇક અને મોબાઇલ કેનાલ પાસે મુકીને કુદ્યો હતો. સમગ્ર મામલે થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@થરાદ: આશાસ્પદ યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

બનાસકાંઠા જીલ્લાના થરાદની નર્મદા કેનાલમાં રવિવારે યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક થરાદના શિવનગરના સુમેલભાઇ ગોહિલ હોવાનું બહાર આવ્યુ છે. ગઇકાલે કેનાલમાં ઝંપલાવ્યા બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે આજે સવારે ફરીથી પાલિકાના તરવૈયા સુલતાન મીરે ભારે જહેમતને અંતે મૃતદેહને બહાર નીકાળ્યો હતો.

બ્રેકિંગ@થરાદ: આશાસ્પદ યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ તો પોતાના વ્હાલસોયા દિકરાના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.