બ્રેકિંગ@થરાદ: દશામાંની મુર્તિ પધરાવવા જતા યુવાન નહેરમાં ડુબી જતા મોત
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) થરાદની મુખ્ય નર્મદા નહેરમાં શનિવારે વહેલી સવારે એક યુવક ડુબી જતા ચકચાર મચી ગઇ છે. દશામાંની મુર્તિ પધરાવતી વખતે યુવકનો પગ લપસી જતા આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ બાદ યુવકની લાશ બહાર કાઢતા પરિવારમાં માતમ છવાઇ
Aug 10, 2019, 12:17 IST
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)
થરાદની મુખ્ય નર્મદા નહેરમાં શનિવારે વહેલી સવારે એક યુવક ડુબી જતા ચકચાર મચી ગઇ છે. દશામાંની મુર્તિ પધરાવતી વખતે યુવકનો પગ લપસી જતા આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ બાદ યુવકની લાશ બહાર કાઢતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં જીજ્ઞેશ પ્રજાપતિ નામના આશસ્પદ યુવકનું ડુબી જવાથી મોત નિપજયુ છે. દશામાંના વ્રતના છેલ્લા દિવસે મુર્તિની પધરામણી કરવા જતા યુવકનો પગ લપસી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઇ યુવકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.