અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
કાંકરેજ ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. તેમાં શાળાના આચાર્ય ગોપાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં નાના-મોટા સાૈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામની સૌથી વધુ ભણેલી દિકરીનું મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા શાળાના સ્ટાફ દ્વારા સન્માનિત કરી ગામની તેજસ્વી દિકરીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.