ચકચાર@દાહોદ: વન અધિકારીએ અચાનક સર્વિસ રિવોલ્વરથી પોતાને માથે ગોળી ધરબી દીધી
અટલ સમાચાર ડોટ કોમ, દાહોદ
દાહોદ વનવિભાગના એક અધિકારીએ આત્મહત્યા કરી દીધી હોવાની ખબર આવતાં સમગ્ર વન આલમમાં ચકચાર મચી ગઇ છે. દેવગઢબારિયા આવેલી ડીસીએફ કચેરીના વડા પરમારે ગઈ કાલે સરેરાશ સાંજથી મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધીના કોઈ સમયે મોતને વ્હાલું કરતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ ખાતે સર્વિસ રિવોલ્વરથી પોતાના માથે ગોળી ધરબી દેતાં અચાનક અવાજથી પરિજનો દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોએ જોયું તો ડીસીએફ પરમારને રિવોલ્વરની ગોળી વાગી હોઈ જમીન પર ફસડાઇ પડ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક અસરથી દાહોદ પોલીસ ટીમે તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના દેવગઢબારિયા મથકે વનવિભાગની ડીસીએફ કચેરી આવેલી અને અહીં નાયબ વન સંરક્ષક તરીકે રમેશભાઈ માનસિંહભાઇ પરમાર ફરજ બજાવતાં ત્યારે અચાનક ગઈકાલે ડીસીએફ પરમારે દાહોદ પહોંચી આત્મહત્યા કરી લીધી છે. દેવગઢબારિયા સ્થિત કચેરીના વન અધિકારી પરમાર છેલ્લા કેટલાક સમયથી બારીયા વનવિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ દરમ્યાન કેટલાક દિવસો પહેલાં રજા ઉપર વિતાવી ફરી ડ્યુટી પર આવી ગયા હતા. ડીસીએફ પરમાર આરએફઓથી ડીસીએફ સુધી પહોંચ્યાં હતા ત્યારે સંઘર્ષથી આગળ આવેલા અધિકારીએ આપઘાત કેમ કર્યો તેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે.