ચકચાર@સિધ્ધપુર: નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર સ્થિત નર્સિંગ કોલેજમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણસોર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રીના કોઇપણ સમયે વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ અને કોલેજના સત્તાધિશો સહિત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વિદ્યાર્થીની બનાસકાંઠા જીલ્લાની
 
ચકચાર@સિધ્ધપુર: નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર સ્થિત નર્સિંગ કોલેજમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણસોર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રીના કોઇપણ સમયે વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ અને કોલેજના સત્તાધિશો સહિત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વિદ્યાર્થીની બનાસકાંઠા જીલ્લાની હોવાનું સામે આવ્યુ છે. આ તરફ સિધ્ધપુર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની સંસ્કારી નગરી સિધ્ધપુરમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસના સુત્રો મુજબ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રણવાડા ગામની પ્રિતીબેન રઘુભાઇ રાવલ (ઉ.વ.20) નામની વિદ્યાર્થીની નર્સિંગ કોલેજમાં GNMના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે મોડીરાત્રીના કોઇપણ સમયે વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાની જાણ થતાં સિધ્ધપુર પોલીસની ટીમે સ્થળ પહોંચી જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ શરૂ કરી છે.