ચિમકી@ગુજરાત: પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 17 ફેબ્રુઆરીથી વનકર્મીઓ હડતાલ પર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે હવે વનખાતાના કર્મચારીઓએ હડતાલની ચિમકી ઉચ્ચાઇ છે. અગાઉના પડતર પ્રશ્નોનો આજદીન સુધી નિકાલ નહીં આવતાં ગુજરાત વન શ્રમયોગી સંઘે ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. પડતર પ્રશ્નોનો નિકાલ ન થાય તો આગમી 17 ફેબ્રુઆરીથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ચિમકી ગુજરાત વન શ્રમયોગી સંઘે ઉચ્ચારતાં હડકંપ મચી ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોનાકાળ વચ્ચે હવે રાજ્યના વનખાતાના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇ હડતાલ પર ઉતરી શકે છે. ગુજરાત વન શ્રમયોગી સંઘ એ ગુજરાત રાજ્યના વન ખાતાના શ્રમયોગીઓનું રજીસ્ટર્ડ યુનિયન છે. યુનિયન દ્રારા શ્રમયોગીઓની ન્યાયિક માંગણીઓ બાબતે વારંવાર કેન્દ્રથી માંડી ગુજરાત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવેલી છે. જોકે આજદિન સુધી કોઇ ઉકેલ નહીં આવતાં હવે સંઘ દ્રારા 17-2-2021થી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.