સિનેજગત: ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની એડને આ અભિનેત્રીએ ઠુકરાવી

અટલ સમાચાર,ડેસ્ક દક્ષિણ ભારતની ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં તેણે ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની ઑફરને ઠુકરાવી દીધી છે. તેણે ફેરનેસ ક્રીમની એડ કરવાની મનાઈ કરી દીધી. કંપનીએ તેને ક્રીમનો પ્રચાર કરવા માટે બે કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ પલ્લવીએ આના પ્રચારનો ઈનકાર કરી દીધો. આ વાતનો ખુલાસો
 
સિનેજગત: ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની એડને આ અભિનેત્રીએ ઠુકરાવી

અટલ સમાચાર,ડેસ્ક

દક્ષિણ ભારતની ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં તેણે ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની ઑફરને ઠુકરાવી દીધી છે. તેણે ફેરનેસ ક્રીમની એડ કરવાની મનાઈ કરી દીધી. કંપનીએ તેને ક્રીમનો પ્રચાર કરવા માટે બે કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ પલ્લવીએ આના પ્રચારનો ઈનકાર કરી દીધો. આ વાતનો ખુલાસો પલ્લવીએ પોતે એક ઈન્ટવ્યુ દરમિયાન કર્યો છે.

પલ્લવીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે તે ભારતીય છે અને તેનો રંગ બરાબર છે. વળી, ફેરનેસ ક્રીમના પ્રચાર વિશે તેણે કહ્યુ કે આનાથી મહિલાઓમાં ખોટો સંદેશ જાય છે. માટે તે આ રીતની ફેરનેસ ક્રીમના પ્રચારનો હિસ્સો નહિ બને. પલ્લવીએ કહ્યુ કે મારી બહેન ઘણી વાર બર્ગર ખાય છે અને તે મને હંમેશા ફરિયાદ કરે છે કે તે મારા જેટલી ગોરી નથી. જ્યારે પણ હું અને મારી બહેન અરીસા સામે ઉભા રહીએ છીએ તો મારી બહેન બંનેના ચહેરાની તુલના કરે છે.
પલ્લવીએ પોતાની બહેન સાથેના અનુભવ શેર કરતા કહ્યુ કે હું મારી બહેનને ફળ-શાકભાજી વગેરે ખાવા માટે કહુ છુ, તેને એ બિલકુલ પસંદ નથી. પરંતુ તેણે આમ કર્યુ કારણકે તેને ગોરા હોવુ પસંદ છે. પરંતુ મને એ જાણીને સારુ ન લાગ્યુ કારણકે તેણે આ બધુ ગોરા થવા માટે કર્યુ. અભિનેત્રીનું કહેવુ છે કે ગોરા થવા માટેની ક્રીમનો પ્રચાર કરવાથી મળતા પૈસા તેમના માટે મહત્વ નથી ધરાવતા. તે પોતાની ફિલ્મોમાં ખૂબ ઓછો મેકઅપ કરે છે.