ચિંતા@અમદાવાદ: 2 કલાકમાં 25 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં મોલ બંધ કરાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારો વચ્ચે કોરોના સંક્રમણ વધતાં આજથી અમદાવાદમાં રાત્રિ દરમ્યાન કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ સાથે શનિ-રવિ બે દિવસ પણ કર્ફ્યૂ હોવાથી આજે રાત્રીથી સોમવારે સવાર સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ રહેશે. આ તરફ લોકો આજે સવારથી ખરીદી કરવા ઉમટી પડતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે શહેરના એક મોલમાં ટેસ્ટ કરવામાં આવતાં માત્ર
 
ચિંતા@અમદાવાદ: 2 કલાકમાં 25 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં મોલ બંધ કરાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારો વચ્ચે કોરોના સંક્રમણ વધતાં આજથી અમદાવાદમાં રાત્રિ દરમ્યાન કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ સાથે શનિ-રવિ બે દિવસ પણ કર્ફ્યૂ હોવાથી આજે રાત્રીથી સોમવારે સવાર સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ રહેશે. આ તરફ લોકો આજે સવારથી ખરીદી કરવા ઉમટી પડતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે શહેરના એક મોલમાં ટેસ્ટ કરવામાં આવતાં માત્ર 2 કલાકમાં 25 લોકો પોઝિટીવ જાહેર થતાં મનપાના અધિકારીઓએ તાત્કાલિક દોડી જઇ મોલ બંધ કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડી-માર્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બે કલાકમાં કોરનાના 25 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે આજ રાતથી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડ્યા હતા. એવામાં મનપા અધિકારીઓ ડી માર્ટ દોડી ગયા હતા અને મોલ બંધ કરાવ્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા 2 કલાકમાં 25 લોકો પોઝિટિવ નોંધાયા હતા.