કોરોના@દેશઃ 24 કલાકમાં 11,831 કેસ નોંધાયા, 84 દર્દીનાં મોત, કુલ મૃત્યુંઆંક 1,55,080

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં અત્યાર સુધીમાં કુલ 58,12,362 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 84 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 11,831 કેસ નોંધાયા, 84 દર્દીનાં મોત, કુલ મૃત્યુંઆંક 1,55,080

 

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 58,12,362 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 84 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,38,194 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 34 હજાર 505 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,904 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,48,609 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,080 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,19,00,614 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં માત્ર 5,32,236 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.