કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 12,899 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 107 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે 21મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 10થી
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 12,899 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 107 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે 21મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 5 રાજ્યમાં એક દિવસમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 44,49,552 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,899 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 107 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,90,183 થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 4 લાખ 80 હજાર 455 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,824 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,55,025 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,703 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.