કોરોના@દેશઃ એક દિવસમાં 14,545 કેસ નોંધાયા, 163 લોકોના મોત, કુલ મૃત્યુંઆંક 1,53,032

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કુલ 10,43,534 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિતના કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે. પણ રાહતની વાત એ છે કે રિકવરી રેટ વધતાં મૃત્યુઆંક 200થી નીચે આવી ગયો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ,
 
કોરોના@દેશઃ એક દિવસમાં 14,545 કેસ નોંધાયા, 163 લોકોના મોત, કુલ મૃત્યુંઆંક 1,53,032

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કુલ 10,43,534 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિતના કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે. પણ રાહતની વાત એ છે કે રિકવરી રેટ વધતાં મૃત્યુઆંક 200થી નીચે આવી ગયો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,545 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 163 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 53 હજાર 32 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 18,002 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,88,688 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,032 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,01,48,024 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 8,00,242 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.