કોરોના@દેશઃ એક જ દિવસમા 27,114 પોઝિટિવ કેસ, 519 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં હવે કોરોના વાયરસના કેસ આઠ લાખથી વધી ગયા છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી દેશમાં કુલ 27,114 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં 519 લોકોનાં મોત થયા છે, જ્યારે 19,873 લોકો સાજા
 
કોરોના@દેશઃ એક જ દિવસમા 27,114 પોઝિટિવ કેસ, 519 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં હવે કોરોના વાયરસના કેસ આઠ લાખથી વધી ગયા છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી દેશમાં કુલ 27,114 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં 519 લોકોનાં મોત થયા છે, જ્યારે 19,873 લોકો સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ અંગે શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કુલ સક્રિય કેસ 2,83,407 છે. જ્યારે 5,15,385 લોકો સાજા થયા છે. કુલ મૃતકોની સંખ્યા 22,123 થઈ છે. 10 જુલાઇ સુધી કોવિડ 19ના કુલ 1,13,07,002 સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી 10મી જુલાઈના રોજ 2,82,511 સેમ્પલ તપાસવામાં આવ્યા હતા.

રાજ્યમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14 દર્દીનાં મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 269 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 269, અમદાવાદમાં 165, ભાવનગરમાં 71, વડોદરામાં 69, રાજકોટમાં 39, ગાંધીનગરમાં 31, નવસારીમાં 27, જામનગરમાં 23, મહેસાણામાં 21, જૂનાગઢમાં 18, ખેડામાં 17, બનાસકાંઠા, ભરૂચમાં 14-14, દાહોદ,સાબરકાંઠામાં 8-8, આણંદ-પંચમહાલમાં 7-7, મોરબી, વલસાડમાં 5-5, છોટા ઉદેપુર, કચ્છ, પાટણમાં 4-4, અમરેલી, તાપીમાં 3-3, અરવલ્લી, બોટાદમાં 2-2 અને પોરબંદરમાં 1 સહિત કુલ 875 કેસ નોંધાયા છે.