કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 55,838 કેસ, 702ના મોત, કુલ 77.6 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે કોરોનાનો પીક ટાઇમ પૂરો થઈ ગયો છે પરંતુ હકીકત એ છે કે સંક્રમણ પર પૂરી રીતે કાબૂ મેળવવામાં લાંબો સમય લાગશે. 24 કલાકમાં નોંધાતા કેસોની સંખ્યા પણ 50 હજારથી વધુ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 55,838 કેસ, 702ના મોત, કુલ 77.6 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે કોરોનાનો પીક ટાઇમ પૂરો થઈ ગયો છે પરંતુ હકીકત એ છે કે સંક્રમણ પર પૂરી રીતે કાબૂ મેળવવામાં લાંબો સમય લાગશે. 24 કલાકમાં નોંધાતા કેસોની સંખ્યા પણ 50 હજારથી વધુ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,838 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 702 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,06,946 થઈ ગઈ છે.

આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 68 લાખ 74 હજાર 518 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,15,812 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,16,616 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,86,70,363 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 14,69,984 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 21મી ઑક્ટોબરે કોરોના વાયરસના 1137 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1180 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 9 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો 162985 આંકડો ને એ પહોંચી ગયો છે.