કોરોના@દેશઃ 24 કલાકમાં 63,371 કેસ, 895ના મોત, કુલ 73.70 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં થોડી રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે રોજેરોજ જાહેર થતા કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજારથી ઓછી નોંધાઈ રહી છે. પરંતુ મૃત્યુઆંક 1.12 લાખને પાર થઈ ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,371 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 63,371 કેસ, 895ના મોત, કુલ 73.70 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં થોડી રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે રોજેરોજ જાહેર થતા કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજારથી ઓછી નોંધાઈ રહી છે. પરંતુ મૃત્યુઆંક 1.12 લાખને પાર થઈ ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,371 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,70,469 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 64 લાખ 53 હજાર 780 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,04,528 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,12,161 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,22,54,927 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 10,28,622 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1185 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1329 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 11 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3609 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 249 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,56,283 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,804 છે. આજે રાજ્યમાં કુલ 51,251 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે.