કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 83,809 કેસ, 1,054ના મોત, કુલ 49.30 લાખ દર્દી
અટલ સમાચાર, ડેસ્ક
દેશમાં સતત ઘણા દિવસોથી કોરોનાથી સંક્રમિત થનારા લોકોનો આંક રોજ 90 લાખથી વધુ આવી રહ્યો હતો, જેમાં આજે આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખને નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,054 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 49,30,237 થઈ ગઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 38 લાખ 59 હજાર 400 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,90,061 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 80,776 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 14 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,83,12,273 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારે 24 કલાકમાં 10,72,845 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 14મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1334 નવા કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે 1255 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,14,996 એ પહોંચી ગયો છે.