કોરોના@દેશઃ લૉકડાઉનથી દેશના આ ક્ષેત્રમાં 80,000 નોકરીઓ જવાનો ખતરો

અટલ સમાચાર, ડેસ્ક વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પગલે દેશમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં મંદી આવે તેવી વકી છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના એક સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ કે આ લૉકડાઉન રિટેલ ક્ષેત્રમાં 80,000 નોકરીઓને અસર કરી શકે છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આ સર્વેમાં 768 રિટેલર્સ વચ્ચે કરવામાં આવ્યો હતો
 
કોરોના@દેશઃ લૉકડાઉનથી દેશના આ ક્ષેત્રમાં 80,000 નોકરીઓ જવાનો ખતરો

અટલ સમાચાર, ડેસ્ક

વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પગલે દેશમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં મંદી આવે તેવી વકી છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના એક સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ કે આ લૉકડાઉન રિટેલ ક્ષેત્રમાં 80,000 નોકરીઓને અસર કરી શકે છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આ સર્વેમાં 768 રિટેલર્સ વચ્ચે કરવામાં આવ્યો હતો જેના કારણે 3,92,693 લોકોને રોજગાર મળે છે. સંગઠને જણાવ્યું કે વેપારીઓ તેમની દુકાનોમાં કે પેઢીઓમાં કે ગોડાઉનમાં કામ કરતા 30 ટકા સ્ટાફને નોકરીમાં છુટ્ટા કરી શકે છે. જ્યારે મધ્યમ વેપારીઓ 12 ટકા અને જથ્થાબંધ વેપારનો ધંધો કરતા વેપારીઓ 5 ટકા લોકોને નોકરીઓમાંથી નિષ્કાશિત કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સર્વેના ચોંકાવનારા આંકડાઓ મુજબ જો વેપારીઓ તેમની પેઢીઓમાંથી 20 ટકા કર્મચારીઓને પણ છુટ્ટા કરી નાંખે તો દેશમાં અંદાજે 78,592 લોકની નોકરીઓ જતી રહેશે. સર્વેમાં સમાવિષ્ટ નાના વેપારીઓ જેમની પેઢીઓમાં 100થી ઓછા કર્મચારીઓ કામ કરે છે તેમની સર્વેમાં ભાગીદારી 65 ટકા હતી.કોરોના વાયરસથી બચવા 25 માર્ચથી બહાર પાડવામાં આવેલા ‘લોકડાઉન’ને કારણે જે લોકો ખાણી-પીણી વેચે છે તે સિવાય 95 ટકાથી વધુ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આ તેમની આવક સમાપ્ત કરશે. તેઓ ગયા વર્ષની તુલનામાં આવતા છ મહિનામાં માત્ર 40 ટકા જ કમાવાની અપેક્ષા રાખી રહ્યા છે.

આશરે 70 ટકા રિટેલ વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં પુનર્જીવનની અપેક્ષા છે, જ્યારે 20 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમાં એક વર્ષ કરતાં વધુ સમય લાગશે. સરકાર પાસેથી અપેક્ષાઓ વિશે, સર્વેએ જણાવ્યું છે કે સારી સંખ્યામાં લોકોને રોજગારી આપતા દર ત્રણ માંથી બે રિટેલ વેપારીઓ તેમના નિયત ખર્ચને પહોંચી વળવા અને ઓછામાં ઓછા કર્મચારીઓના પગાર અને ભાડામાં મદદ માંગે છે. લોકોને નોકરીમાંથી કાઢી નાખવા પડે એવું કહેવામાં આવ્યું છે રિટેલરો કોઈપણ ટેકા વિના વર્કફોર્સમાં 20 ટકાનો ઘટાડો કરી શકે છે.