કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1101 કેસ, 805 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં આજે નવા 1101 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 805 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 23255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 357.76 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1101 કેસ, 805 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે નવા 1101 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 805 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 23255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 357.76 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજ્યમાં કુલ 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિવસ 357.76 ટે્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યારે સુધીમાં કુલ 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં 1099 અને અન્ય રાજ્યનાં 02 થઇને કુલ 1101 દર્દી નોંધાયા છ. આજે 805 દર્દી સાજા થઇને ઘરે ગયા છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 14601 એક્ટિવ દર્દી છે. 81 વેન્ટિલેટર પર છે. 14520 લોકો સ્ટેબલ છે. 46587 દર્દીઓને ડિસ્ચાર્જ આફી દેવાયું છે. 2487 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે આજનાં દિવસમાં કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, દેવભુમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1 અને રાજકોટમાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.