કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1349 કેસ, 17ના મોત, કુલ 1,16,345 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 14મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1349 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 1444 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,16,345 એ પહોંચી ગયો છે. દરમિયાન સુરતમાં 24 કલાકમાં 277, અદાવાદમાં
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1349 કેસ, 17ના મોત, કુલ 1,16,345 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 14મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1349 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 1444 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,16,345 એ પહોંચી ગયો છે. દરમિયાન સુરતમાં 24 કલાકમાં 277, અદાવાદમાં 172, જામનગરમાં 123, રાજકોટમાં 141, વડોદરામાં 129, અમરેલીમાં 30, પંચમહાલમાં 29, મોરબીમાં 28, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 43, બનાસકાંઠામાં 24, કચ્છમાં અને મહીસાગરમાં 19-19 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જ્યારે જૂનાગઢમાં 35, સુરેન્દ્રનગહરમાં 18, દાહોદમાં 17, ભરૂચમાં 16, ગીરસોમનાથમાં 14, બોટાદમાં 12, ખેડા, સાબરકાંઠામાં 10-10, નર્મદામાં 9, નવસારીમાં 9, વલસાડમાં 7, આણંદમાં 6, પોરબંદરમાં 5, છો.ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 4-4, તેમજ ડાંગમાં 2 અને અરવલ્લીમાં 1 મળીને કુલ 1349 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ 16389 એક્ટિવ કેસ છે, જે પૈકીના 96 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કુલ 16,293 દર્દી સ્ટેબલ છે જ્યારે 96,709 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 3247 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં મંગળવારે 78,182 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે પ્રતિદિન પ્રતિ મિલિયન ટેસ્ટનો રેશિયો 1202.80 દર્દીએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 96,709 દર્દી સાજા થયા છે. તમામ તસવીરો પ્રતિકાત્મક છે.