કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 29મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1381 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1383 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 136004 એ પહોંચી ગયો છે. દરમિયાન 24 કલાકમાં સુરતમાં 311, અમદાવાદમમાં
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 29મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1381 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1383 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 136004 એ પહોંચી ગયો છે.

દરમિયાન 24 કલાકમાં સુરતમાં 311, અમદાવાદમમાં 195, રાજકોટમાં 148, વડોદરામાં 129, જામનગરમાં 91, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 34, પાટણમાં 34, ભરૂચમાં 29, સુરેન્દ્રનગરમાં 27, અમરેલી અને કચ્છમાં 24-24, પંચમહાલમાં 23, ભાવનગરમાં 40, ગાંધીનગરમાં 40 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં 32 મગીસાગરમાં 19, તાપીમાં 21, ગીરસોમનાથમાં 15, આણંદમાં 12, નર્મદામાં અને સાબરકાંઠામાં 11-11, દેવભૂમિ દ્વારકા, ખેડા, નવસારીમાં 8-8, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુરમાં 6-6, દાહોદા, પોરબંદર, વલસાડમાં 4-4, ડાંગમાં 1 મળીને કુલ 1381 નવા કેસ ઉમેરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 3, સુતમાં 4, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 2 મળીને કુલ 11 મોત થયા છે. આમ મોતનો આંકડો રાજ્યમાં અત્યારસુધીમાં 3442 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં સાજા થયેલા દર્દીનો આંકડો 1,15,859 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં કુલ 16073 એક્ટિવ કેસ છે, જ્યારે 89 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં આજે 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજના આંકડા મુજબ રાજ્યનો રિકવરી રેટ 85.19 ટકાએ પહોંચ્યો છે.