ક્રિકેટ@દેશ: Ind Vs Eng વનડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત થઇ ચૂકી છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને 18 પ્લેયર્સની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટી-20માં અડધી સદી ફટકારનારા સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં જગ્યા મળી છે. મહત્વનું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ચોથી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
#TeamIndia squad for @Paytm ODI series against England announced. #INDvENG
— BCCI (@BCCI) March 19, 2021
ભારત આ મેચને 8 રનથી જીતી ચૂક્યું છે, બંને ટીમો સિરીઝમાં 2-2 થી બરાબર છે શ્રેણી હજુ જીવંત છે. હવે શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ શનિવારે રમાશે. ત્યારે હવે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 23 માર્ચે રમાશે. નક્કી કાર્યક્રમ મુજબ સીરીઝ ત્રણેય વનડે પૂર્ણના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 23,26,28 માર્ચ હશે. ત્રણ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.
TEAM – Virat Kohli (Capt), Rohit Sharma (vc), Shikhar Dhawan, Shubman Gill, Shreyas, Suryakumar Yadav, Hardik Pandya, Rishabh Pant (wk), KL Rahul (wk), Y Chahal, Kuldeep Yadav, Krunal Pandya, W Sundar, T Natarajan, Bhuvneshwar Kumar, Md. Siraj, Prasidh Krishna, Shardul Thakur.
— BCCI (@BCCI) March 19, 2021
જાણો કોને મળ્યું સ્થાન
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વીસી), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કેએલ રાહુલ, ચહલ, કુલદીપ યાદવ, ક્રુનાલ પંડ્યા, સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુર.