ક્રાઇમ@અમદાવાદ: પ્રેમીના બળાત્કારથી પ્રેમિકા ગર્ભવતી, યુવક સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ છૂટાછેડા લઈને મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકા સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં મહિલા ગર્ભવતી થઈ હતી. પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે નફ્ફટાઈ ભર્યું વર્તન કરીને મહિલા
 
ક્રાઇમ@અમદાવાદ: પ્રેમીના બળાત્કારથી પ્રેમિકા ગર્ભવતી, યુવક સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ છૂટાછેડા લઈને મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકા સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં મહિલા ગર્ભવતી થઈ હતી. પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે નફ્ફટાઈ ભર્યું વર્તન કરીને મહિલા પર આક્ષેપ કર્યો કે તેના અનેક પુરુષો સાથે સબંધ હોઈ શકે છે. જેથી આ બાળક તેનું નથી. આખરે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી દગાખોર પ્રેમીની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મેમનગરમાં રહેતી 33 વર્ષીય મહિલા હાલ તેની માતા સાથે રહે છે. વર્ષ 2012માં મણીનગર ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. પણ મનમેળ ન રહેતા બે વર્ષ પહેલા તેણીએ છૂટાછેડા લીધા હતા. 10 વર્ષ પહેલા જયદીપ બુદ્ધિસાગર બારોટ સાથે તેની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ યુવતીના લગ્ન થઈ જતા તેણે જયદીપ સાથે સબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું. જયદીપ પણ પરિણીત હતો અને તેને પણ બાળકો હતા. પ્રેમિકાના લગ્ન થઈ ગયા બાદ પણ તેણે તેની સાથે વાતો ચાલી રાખી હતી. આખરે યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં વર્ષ 2020માં જાન્યુઆરી માસમાં જયદીપ રાત્રે યુવતીના પિયર જતો હતો. યુવતી મનાઈ કરે તેમ છતાં તે શારીરિક સંબંધ બાંધતો હતો, આવું તેણે અનેકવાર કર્યું હતું.

ક્રાઇમ@અમદાવાદ: પ્રેમીના બળાત્કારથી પ્રેમિકા ગર્ભવતી, યુવક સામે ફરીયાદ
File Photo

આ તરફ બે ત્રણ માસથી યુવતીને માસિક ન આવતા તેણે ચેકઅપ કરાવ્યું હતું. જેમાં તે ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. યુવતીએ જયદીપને આ અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે, “આ બાળક તેનું ન હોઈ શકે. તારે અનેક લોકો સાથે સબંધ હશે. જેથી બીજા કોઈનું બાળક હોઈ શકે છે.” આ વાત કહેતા જ યુવતીને મનમાં લાગી આવ્યું હતું. યુવતી આઘાતમાં આવી જતા તે વસ્ત્રાપુર લેક જતી રહી હતી. ત્યાં વસ્ત્રાપુરની શી ટીમ આ મહિલાને જોઈ જતા તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કરાવી આપતા યુવતીએ આ અંગે જયદીપ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.