ક્રાઇમ@દાંતીવાડા: જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યાં, મૂર્તિ સહિત 66,500ની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા દાંતીવાડા પંથકના જૈન દેરાસરમાંથી ગત મોડીરાત્રે ચોરીની ઘટના સામે આવી છે. મંદીરમાં પૂજા કરતાં વ્યક્તિ ગઇકાલે રાત્રે સુઇ ગયા બાદ અજાણ્યાં ઇસમોએ દેરાસરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જે બાદમાં મૂર્તિ અને રોકડ રકમ સહિત કુલ 66,500ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ તરફ વહેલી સવારે પૂજા કરજા માટે જૈન
 
ક્રાઇમ@દાંતીવાડા: જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યાં, મૂર્તિ સહિત 66,500ની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા

દાંતીવાડા પંથકના જૈન દેરાસરમાંથી ગત મોડીરાત્રે ચોરીની ઘટના સામે આવી છે. મંદીરમાં પૂજા કરતાં વ્યક્તિ ગઇકાલે રાત્રે સુઇ ગયા બાદ અજાણ્યાં ઇસમોએ દેરાસરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જે બાદમાં મૂર્તિ અને રોકડ રકમ સહિત કુલ 66,500ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ તરફ વહેલી સવારે પૂજા કરજા માટે જૈન દેરાસર ખોલવા જતાં દરવાજો ખુલ્લો હોવાથી ફરીયાદી ચોંકી ગયા હતા. જે બાદમાં ચોરી થયાનુ જાણી પાંથાવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરીના જૈનદેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસરમાં પૂજા કરતાં દિનેશભાઇએ રાવલે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે તેઓ રાત્રે નવેક વાગે દેરાસર બંધ કરી ચાવી તેમની પાસે રાખી હતી. જે બાદમાં રાત્રે સાડાબાર વાગ્યા આસપાસ તેઓ સુવા ગયા બાદ વહેલી સવારે પૂજા કરવા દેરાસર ખોલવા જતાં ચોંકી ઉઠ્યાં હતા. દેરાસરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોઇ ચોરી થઇ હોવાનું સામે આવતાં દિનેશભાઇએ અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ દેરાસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ચોર તત્વોએ દેરાસરમાંથી પંચધાતુની મુર્તિ નંગ-2 કિ.રૂ. 26,000, પંચધાતુનું સિધ્ધચક્ર કિ.રૂ.5,500, દાનપેટીમાં પડેલ રોકડ આશરે 35,000 મળી કુલ કિ.રૂ.66,500 નો મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે પાંથાવાડા પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસીની કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.