ક્રાઇમ@હિંમતનગર: સંબંધી જ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, શોધખોળ બાદ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ગામેથી સતલાસણા તાલુકાનો ઇસમ સગીરાને લગ્નના ઇરાદે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. પંથકના એક ખેડૂત પરિવારની સગીર દીકરી 12 માર્ચના દિવસે ઘરે જોવા નહી મળતાં પરિવારે બેબાકળા બની શોધખોળ હાથ ધરી હતી. જે બાદમાં તપાસ કરતાં માલૂમ પડ્યુ હતુ કે, ફરીયાદી ખેડૂતના સાળાનો સાળો તેમની સગીર દીકરીને
 
ક્રાઇમ@હિંમતનગર: સંબંધી જ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, શોધખોળ બાદ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગામેથી સતલાસણા તાલુકાનો ઇસમ સગીરાને લગ્નના ઇરાદે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. પંથકના એક ખેડૂત પરિવારની સગીર દીકરી 12 માર્ચના દિવસે ઘરે જોવા નહી મળતાં પરિવારે બેબાકળા બની શોધખોળ હાથ ધરી હતી. જે બાદમાં તપાસ કરતાં માલૂમ પડ્યુ હતુ કે, ફરીયાદી ખેડૂતના સાળાનો સાળો તેમની સગીર દીકરીને ભગાડી ગયો છે. જેથી સામાજીક રીતે પ્રયાસો કરવા છતાં સગીરા નહીં મળતાં છેવટે ઇસમ સામે હિંમતનગર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના એક ગામની સગીરાને સંબંધી જ ભગાડી ગયાની ઘટના સામે આવી છે. પંથકમાં એક ખેડૂત પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગત તા.12 માર્ચના રોજ સાંજના સમયે સગીરા ગામમાં જવાનું કહી નીકળી ગયા બાદ પરત નહીં આવતાં પરિવારે શોધખોળ આદરી હતી. આ દરમ્યાન તપાસ કરતાં માલૂમ પડ્યું હતુ કે, ફરીયાદી ખેડૂતના સાળાનો સાળો મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા ગામનો ઓહમસિંહ બળવંતસિંહ ચૌહાણ સગીરાને ભગાડી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સંબંધી જ સગીરાને ભગાડી ગયો હોઇ પરિવારે આબરૂ જવાની બીકે ફરીયાદને બદલે આરોપીના પિતાને ફોન કર્યો હતો. જેથી આરોપીના પિતાએ સગીરાને શોધી લાવી રજૂ કરવાનું કહ્યુ હતુ. જે બાદમાં પણ સગીરાનો કોઇ પત્તો નહીં લાગતાં આખરે ખેડૂતે ઓહમસિંહ બળવંતસિંહ ચૌહાણ સામે હિંમતનગર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.