ક્રાઇમ@ભરૂચ: અંકલેશ્વરમાં ટ્રેન નીચે પડતું મુકી યુગલનો આપઘાત, ઘટના સામે આવતા મચી સનસનાટી

 
ટ્રેન

પ્રાથમિક તપાસમાં આ યુગલ પરિણીત હોવાનું સામે આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રેલ્વે ટ્રેક પર એક યુગલે આપઘાત કરવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી યુવક યુવતીએ આપઘાત કર્યો. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી. પોલીસે આપઘાત કરનાર યુવક અને યુવતી ક્યાંના છે, અને શું કામ તેમણે આ પગલુંભર્યું જેવી બાબતોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુગલ પરિણીત હોવાનું સામે આવ્યું છે.

ભરૂચથી અંકલેશ્વર તરફના જુના બોરભાઠા બેટ નજીક રેલ્વે ટ્રેક પર યુવક-યુવતીએ આપઘાત કર્યો. બોરભાઠા ગામના લોકોને આ ઘટનાની જાણ થતાં ત્યાં આવી પંહોચ્યા. જાગૃત ગ્રામજન દ્વારા આ ઘટનાની રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચતા વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસને ઘટનાસ્થળ પરથી મોપેડ ટૂ-વ્હીલર મળી આવ્યું. અનુમાન છે કે સંભવત યુગલ આ વાહન પર જ આવ્યા હશે અને ટ્રેન નીચે પડતું મૂકયું હશે.

પોલીસને આ બનાવની વધુ તપાસ કરતા યુવક અંકલેશ્વરના ગુરુનાનક મંદિર પાછળના હસ્તી વાવ પાસે રહેતો હતો જ્યારે યુવતી પણ અંકલેશ્વરની જ હતી અને મુલ્લાવાડમાં રહેતી હતી તેનું નામ અમરીનબાનું જેનુરઆબીદીન બરફવાલા હોવાનું જાણવા મળ્યું. આપઘાત કરેલ યુગલમાં યુવક તોફિક શેખના લગ્ન થઈ ગયેલા છે અને પત્ની ઇદ કરવા ત્રણ વર્ષની પુત્રીને લઈને પિયર ગઈ હતી. યુગલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.