મોતની છલાંગઃ દિયોદરમાં ત્રણ સંતાનોના પિતાએ નહેરમાં ઝંપલાવ્યું

અટલ સમાચાર, બનાસકાંઠા બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરપાલિકાના તરવૈયાએ 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક દિયોદરના લીંબાઉ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ યુવકે ઢીમા પુલ નજીક રાત્રીના સમયે નહેરમાં કૂદી પડી
 
મોતની છલાંગઃ દિયોદરમાં ત્રણ સંતાનોના પિતાએ નહેરમાં ઝંપલાવ્યું

અટલ સમાચાર, બનાસકાંઠા

બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરપાલિકાના તરવૈયાએ 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક દિયોદરના લીંબાઉ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ યુવકે ઢીમા પુલ નજીક રાત્રીના સમયે નહેરમાં કૂદી પડી જીવન ટુંકાવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ પિતાએ આપઘાત કર્યા અંગેના કારણો જાણવા મળ્યા નથી. પરંતુ પિતાની છત્રછાયા ગૂમાવનાર પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.