નિર્ણય@દેશ: એક જ દિવસમાં 41,953 કેસ, આ રાજ્યએ લગાવ્યું 16 મે સુધી લોકડાઉન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેરળ સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સ્થિતિને સંચાલિત કરવા અને નિયંત્રિત કરવા માટે 8 મેથી 16 મે સુધી લૉકડાઉન કરવાની ઘોષણા કરી છે. કેરળના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને કહેવામાં આવ્યું હતું – ‘મુખ્યમંત્રીના નિર્દેશન મુજબ કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને, 8 મેથી 16 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી આખા કેરળ રાજ્યમાં લોકડાઉન થશે.’
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
The entire State of Kerala will be under lockdown from 6am on 8 May to 16 May. This is in the background of a strong 2nd wave of #COVID19.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) May 6, 2021
કેરળમાં કોવિડ-19ના કેસોમાં દિન પ્રતિદિન વધારો થતાં રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને તૈનાત કરીને કોરોના વાયરસ સંક્રમણ સામે પગલાઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. બુધવારે કેરળમાં કોવિડ-19ના નવા 41,953 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી પિનરાય વિજયનને પરિસ્થિતિને ગંભીર ગણાવતાં કહ્યું કે, સંક્રમણ અટકાવવા વધુ કડક પગલા લેવામાં આવશે.