નિર્ણય@ગુજરાત: સોમવારથી આ લોકોના ખાતામાં રૂ. 1000 સીધા જમા થશે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.
 
નિર્ણય@ગુજરાત: સોમવારથી આ લોકોના ખાતામાં રૂ. 1000 સીધા જમા થશે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

CMO સચિવ અશ્વિનીકુમારે આજે રાજ્ય સરકાર તરફથી મહત્વની જાહેરાત કરી હતી. દેશભરમાં કોરોના સંકટ છે ત્યારે 3 મે સુધી લૉકડાઉન છે. આવામાં ગુજરાતમા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં 66 લાખ કાર્ડધારકો માટે મોટી જાહેરાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટિ ફૂડ એક્ટ હેઠળ જે લોકો આવે છે તેમને આ લાભ મળશે.

આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે.

અશ્વિનીકુમારે કહ્યું હતું કે આ સહાય તાત્કાલિક ધોરણેથી આપવામાં આવશે અને સોમવારથી લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવાના શરૂ થઈ જશે. આ રકમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં.