નિર્ણય@ગુજરાત: ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારીના કપરા સમયે લોકડાઉન-4 માં એસટી નિગમ દ્વારા 15 ટકા સંચાલન શરુ કરેલ હતુ. આ સમયે અન્ય મોટાભાગના કર્મચારી જે પોતાની ફરજ ઉપર એક યા બીજા કારણોસર હાજર થઈ શક્યા નહોતા તેઓની સંપુર્ણ હાજર ગણી ગેરહાજર દિવસોમાં જે-તે કર્મીઓનાં ઓફ કે પી.એચ.ભરવા નહી તેવો પરિપત્ર કરાયો છે. આ આવકારદાયી નિર્ણય માટે રાજ્ય સરકાર તેમજ સેન્ટ્રલ સંકલન સમિતિનાં આગેવાનોએ ખૂબ જ પ્રંશશનીય કાર્ય કર્યુ હોવાનુ પાલનપુર એસટી સંકલન સમિતિનાં કન્વિનર દિપકભાઈ એસ.નાયકે જણાવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાત એસટી માન્ય ત્રણે યુનિયનની બનેલી સંકલન સમિતિ દ્રારા છેલ્લાં ઘણાં દિવસોથી 18/05/2020 થી 31/05/2020 સુધી ની ઓફ અને હોલીડે ભરવાના વિરોધમાં સેન્ટ્રલ ઓફીસમાં વારંવાર રજુઆત કરેલ અને તે અંગે વહીવટે હૈયાધારણ પણ આપેલ કે કામદારને નુકશાન થવા દેવોમાં આવશે નહીં. આ સમયગાળામાં ઓછુ સંચાલન ચાલુ કરાયુ હોવાથી દરેક કર્મચારીને નોકરી આપી શકાય તેમ નહોતુ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં લોકડાઉન -૪ પણ અમલી હતુ. આથી સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ કર્મચારીનો પગાર કપાય નહી અને તેમને અન્યાય થાય નહી તે માટે હકારાત્મક અભિગમ અપનાવવા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ બધી બાબતોને ધ્યાને લઈ એસટી નિગમે બહોળા કર્મચારીનાં હિત માં નિર્ણય કરી તે અંગેનો પરિપત્ર પણ આજ રોજ જે-તે કચેરીઓને મોકલી આપ્યો હોવાનુ જાણવા મળેલ છે. ગુજરાત એસટી નિગમની સંકલન સમિતિ કામદારોના પ્રાણપ્રશ્નો માટે સતત ચિંતિત અને પ્રયત્નશિલ રહેતી હોય છે તે આ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે.