નિર્ણય@ગુજરાત: ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સરકાર દ્રારા ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયુ હતુ. જે બાદમાં હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ
 
નિર્ણય@ગુજરાત: ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સરકાર દ્રારા ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયુ હતુ. જે બાદમાં હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ સ્કૂલો શરૂ થશેએ નક્કી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતા આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજીયાત છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે.

નિર્ણય@ગુજરાત: ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે
જાહેરાત

આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે, 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે .રાજ્યની જીલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે અને પરીક્ષા બાદ મુલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી ,ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.