નિર્ણય@ગુજરાત: લગ્ન પ્રસંગ અને અંતિમવિધિમાં આટલા લોકો થશે સામેલ

અટલ સમાચાર ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે ગાંધીનગરથી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ
 
નિર્ણય@ગુજરાત: લગ્ન પ્રસંગ અને અંતિમવિધિમાં આટલા લોકો થશે સામેલ

અટલ સમાચાર ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે ગાંધીનગરથી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ લગ્નમાં જોડાઈ શકશે. સરકારની નવી ગાઇડલાઇન મંગળવાર મધ્યરાત્રિથી લાગુ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંતિમ સંસ્કારની વિધિમાં પણ સરકારે સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય મુજબ અંતિમ વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિ ભાગ લઈ શકશે. અગાઉ આ સંખ્યા 200 સુધીની છૂટ આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે જેને જોતા સરકારે આકરો નિર્ણય લીધો છે. અગાઉથી અમદાવાદ, વડોદરા અને સુરત-રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતું કે સરકારે અન્ય નિર્ણયમાં એવું પણ નક્કી કર્યુ છે કે જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યા રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન સમારંભ કે સત્કાર સમારંભની છૂટ આપવામાં નહીં આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં આ કર્ફ્યૂ 7મી ડિસેમ્બર સુધી યથાવત્ત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બાહર પાડીને જણાવ્યું છેકે, અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે.