નિર્ણય@જામનગર: કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળા નહીં યોજાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાની બે લહેરને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધવાની દહેશતને પગલે સતત બીજા વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન રદ્દ કરાયું છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ કોરોના માંડ માંડ કાબૂમાં આવ્યો છે ત્યારે ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લઇ મેળો
 
નિર્ણય@જામનગર: કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળા નહીં યોજાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની બે લહેરને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધવાની દહેશતને પગલે સતત બીજા વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન રદ્દ કરાયું છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ કોરોના માંડ માંડ કાબૂમાં આવ્યો છે ત્યારે ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લઇ મેળો ન યોજવા મહાનગપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. સાથે સાથે જામનગર શહેરમાં 4.17 કરોડના વિકાસના કામો પણ મંજૂર કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળા તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાકાળ દરમ્યાન અને સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને શ્રાવણી મેળા પર સંકટના વાદળો ઘેરાયા હતાં. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોએ યોજાતા પરંપરાગત શ્રાવણી લોક મેળાનું આયોજન થાય છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાતમ-આઠમના પાંચ દિવસના જન્માષ્ટમી મેળાનું આયોજન થાય છે. ગયા વર્ષે પણ કોરોનાકાળ દરમ્યાન બંને મેળાઓ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. શ્રાવણ માસ નજીક છે ત્યારે આ વર્ષે પણ મેળો ન યોજવા મહાનગપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી સત્તાવાર જાહેરાત કરાઈ છે.

સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાએ જણાવ્યું હતુ કે, “જામનગર શહેરમાં 4.17 કરોડના જુદા જુદા વિકાસના કામો મંજૂર કરાયા છે. જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં યોજાતા શ્રાવણી મેળામાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે, પણ કોરોના મહામારી અને તકેદારીને જોતા આ વર્ષે લોકમેળા રદ્દ કરવાનો નિર્ણય હાલ લેવાયો છે. આગામી સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઇને કોઈ છૂટછાટ મળશે તો ફેર વિચારણા કરવામાં આવશે.”

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો