નિર્ણય@સુરેન્દ્રનગર: ચોટીલા મંદીરમાં કોરોના વેક્સિન ફરજીયાત, પ્રમાણપત્ર બતાવો તો જ પ્રવેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ચોટીલા મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે ફરજિયાત વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવું પડશે. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 5.57 કરોડ થઇ ગયો છે. જેમાંથી 3.95 કરોડે પ્રથમ ડોઝ અને 1.61
 
નિર્ણય@સુરેન્દ્રનગર: ચોટીલા મંદીરમાં કોરોના વેક્સિન ફરજીયાત, પ્રમાણપત્ર બતાવો તો જ પ્રવેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ચોટીલા મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે ફરજિયાત વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવું પડશે. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 5.57 કરોડ થઇ ગયો છે. જેમાંથી 3.95 કરોડે પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોએ રસી લીધેલી હોવી ફરજિયાત છે. મંદિરગૃહમાં પ્રવેશતા પહેલા ભક્તોએ વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ મેળવી શકાશે. મંદિરમાં સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. જ્યારે તમામ ભાવિકોને વેક્સિન લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.